Saturday June 21, 2025

પોરબંદરના દરિયામાં ડૂબી જતા વલસાડ વતની માછીમારનું મોત

પોરબંદર
પોરબંદરના દરિયામાં માછીમારી કરવા જતા અકસ્માતે પાણીમાં પડી જતા ડૂબી જતાં એક વલસાડ વતની માછીમારનું મોત થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મરણ જનાર ભરતભાઈ અરજનભાઈ દુબલા (રહે.અહુ,ડુંગરી ફળીયુ,ઉમરગામ જી.વલસાડ) ગઇ તા.૩/૨/૨૦૨૫ના રોજ પોરબંદરથી ૫૦ નોટીકલ માઇલ દુર દરીયામાં માચ્છીમારી કરવા ગયેલ હોય અને તા.૫/૨/૨૦૨૫ના રોજ ૧૦/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે માચ્છીમારી કરતી વખતે મરણ જનાર તેમની બોટ માંથી અકસ્માતે દરિયાના પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ ગયા હતા. બનાવ અંગે નવી બંદર પીઆઇ એસ.એસ.ગામેતીએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top