
પોરબંદર
પોરબંદર જિલ્લામાં નવી બંદર અને માધવપુર ખાતે એક યુવક અને એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની બે અલગ અલગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અશોકભાઈ તુલશીભાઈ સલેટ (ઉ.વ.૩૮ રહે.નવીબંદર ગામ તા.જી.પોરબંદર) પોતાના ઘરે પોતે પોતાની મેળે છતની વરી સાથે દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયા છે. તા.૧૧/૨/૨૦૨૫ ના ૧૧/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે નવીબંદર ગામ મરણ જનારના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે નવી બંદર મરીન પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ આર જી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.
આપઘાતના વધુ એક બનાવમાં ગોવિંદભાઇ ઉર્ફે ગીલી પોલાભાઇ વાઘેલા (ઉ.વ.૫૩ ધંધો ઇલેક્ટ્રીક રહે.માધવપુર ગામ, કુંભારવાડા રોડ, ભવાની મંદીરની બાજુમા તા.જી.પોરબંદર) કોઇપણ કારણસર પોતે પોતાની મેળે, પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ માલસમાન રાખવાની ઓરડીમા છતના સીમેન્ટના પીઢીયામા આવેલ લોખંડના હુકમા દોરી બાંધી ગળે ફાંસો ખાય જતા તેનું મોત નીપજ્યું છે. તા.૧૧/૨/૨૦૨૫ ૧૪/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે માધવપુર ગામ, કુંભારવાડા રોડ, ભવાની મંદીરની બાજુમા મરણ જનારના રહેણાંક મકાનની પાછળ આવેલ ઓરડીમા બનેલી આ ઘટના અંગે માધવપુર પીએસઆઇ આરજી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.