
પોરબંદર
પોરબંદર પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડકોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોપોલીસના આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબના ગુનામાં લાલ શાહીનો નાશતો ફરતો આરોપી દેવ પૂથ્વીશ જોષી (રહે. એ-૩૩, પુષ્પા પાર્ક, એસ.વી. રોડ, કોરા કેન્દ્ર પાસે, બોરીવલી(વેસ્ટ) મુંબઇ) હાલ મુંબઇ ખાતે હોવાની જે હકીકત આધારે મુંબઇ જઇ તપાસ કરતા સદરહુ આરોપી મળી આવેલ જેને ગુન્હાની કબુલાત આપતા આગળની તપાસ થવા સારૂ ઉધોગનગર પોલીસને સોપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીએસઆઇ એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર, હેડ કોન્સ્ટેબલ પિયુષ સીસોદીયા, પ્રકાશ નકુમ, વજશી વરૂ, હરેશ સીસોદીયા, કેશુ ગોરાણીયા, જેતમલ મોઢવાડીયા, તથા કોન્સ્ટેબલ આકાશ શાહ વગેરે જોડાયા હતા.