પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ
પોરબંદર
પોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર ઉકળાટ છે ત્યારે પોલીસે તા.૩૧/૧૨/૨૦૨૪ કલાક ૧૨/૪૦ ચોપાટી મેળાવાળા ગ્રાઉન્ડની ફુટપાથ ઉપર ઘાસચારાનું વેચાણ કરી રહેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે આરોપીએ પશુઓને જાહેરમાં ખાસ ચારો જાહેર માર્ગ તથા ફુટ પાથ તથા જાહેર સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાર ચારાનુ વેચાણ કરતા હોય તથા જાહેરમાં પશુઓને ઘાસ ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો ભંગ કર્યો હતો.
અને આ ગુના બદલ નાથા ઓઘડભાઇ કોડીયાતર ઉ.વ.૨૬ ધંધો- ઘાસચારાનુ વેચાણ રહે. ઝુરીબાગ શેરી નં.અગીયાર પોરબંદર તથા અમરા સુકાભાઇ શામળા ઉ.વ.૪૦ રહે.ઝુબેલી હાથી કેમીકલની બાજુમાં પોરબંદર (બન્નેની ધરપકડ: ૩૧/૧૨/૨૦૨૪ ૬.૧૪/૩૦) સામે કમલાબાગ પોલીસમાં બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ એફઆઇઆર થઈ છે. બંને સામેની તપાસ ચાલુ છે.
આ ક્યાં પ્રકારનું જાહેરનામું છે?
અન્ય શહેરો માં નગરપાલિકા દ્વારા પહેલા ગૌવંશને રાખવા અને નિભાવવાની વ્યવસ્થા કર્યા બાદ જાહેરમા ખવડાવવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ પોરબંદરમા કોઈ વ્યવસ્થા વગર ગઈ વંશને ભૂખે મારવાના? માલિકીના પશુને ખાવાનું મળી જશે પરંતુ રઝળતા પશુ માટે શું વ્યવસ્થા? અને કોઈ ખવડાવે તો પણ ગુનો એ ક્યાં પ્રકારનો નિર્ણય? એક તરફ આ દેશમાં ગાયને માતાનો દરજો આપવામાં આવે છે અને બીજી તરફ આવા વિચાર્યા વગરના નિર્ણય ? પહેલા યોગ્ય વ્યવસ્થા કરીને પછી આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવું જોઈએ. ભૂખ અને ઠંડીના કારણે રોજ કેટલાં નાના વાછરડા મરી રહ્યા છે. આના માટે જવાબદાર કોણ? તંત્ર કે રઝળતાં કરનાર માલિકો?
- ડો. નેહા કારાવદરા, ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, પોરબંદર
