Saturday June 21, 2025

પોરબંદરમાં ડો નેહલ કારાવદરા દ્વારા તુમ્બડા વિસ્તારમાં ઘાયલ કુંજ પક્ષીનું રેસ્ક્યુ

પતંગના દોરાના કારણે ફસાયેલ કુંજ પક્ષીને સલામતીપૂર્વક છોડાવીને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી

પોરબંદર
પોરબંદરના તુંબડા વિસ્તારમાંથી પતંગના દોરાના કારણે ઇજા પામેલ કુંજ પક્ષી નું ઉદય કારાવદરા ટ્રસ્ટ દ્વારા રેસ્કયુ અને ડો. હેમલ ચાવડા દ્વારા સારવાર કરવામાં આવી. અને કુંજ ને પક્ષી અભ્યારણ્ય મા મૂકવામાં આવી હતી. આ માટે જાણીતા પક્ષીવિદ અને પશુ પ્રેમી ડો નેહલ કારાવદરા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી લોકોએ પણ આ પક્ષી અંગે ઉદય કારાવદરા ટ્રસ્ટને જાણ કરીને તેમજ અન્ય રીતે સહકાર આપીને આ રેસ્ક્યુને સફળ બનાવ્યું હતું. ઉદય કારાવદરા ટ્રસ્ટ તરફથી જણાવ્યું છે કે કોઈપણ પશુ-પંખીને કોઈ પણ પરિસ્થિતિમાં પરેશાન થતું જોવામાં આવે અથવા તો રેસ્ક્યુની જરૂર પડે તો આવી પરિસ્થિતિમાં ઉદય કારાવદરા ટ્રસ્ટનો સંપર્ક કરી શકાય છે. આ માટે ટ્રસ્ટ દ્વારા ઘાયલ બીમાર પશુપક્ષીના રેસ્કયું તેમજ સારવાર માટે કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે લોકો
9825919191, 9825221962, 99792 89009 અથવા 87800 52840 માંથી કોઈપણ નંબર પર કોઈપણ સમયે ફોન કરી શકે છે. ઉદય કારાવદરા ટ્રસ્ટની ટીમ તરફથી શક્ય તેટલો વહેલામાં વહેલી તકે રેસ્ક્યુ રિસ્પોન્સ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top