પોરબંદર
પોરબંદરમાં તા.૧૯/૧/૨૦૨૫ના કલાક ૧૩/૧૫ લકડી બંદર દરીયાની ખાડી કાંઠે બનેલી એક ઘટનામાં એક યુવાન માછીમારનો પગ અકસ્માતે દરિયાની ખાડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સતીશભાઇ શંકરભાઇ દુબળા (ઉ.વ.૪૩ ધંધો- માચ્છીમારી રહે.સરકારવાડ સોળસુબા વલસાડ) અકસ્માતે દરીયાની ખાડીના પાણી માં પડી જતા ડુબી જતા મરણ ગયા છે.
આ અંગે મેહુલકુમાર જયંતીભાઇ સોરઠી (ઉ.વ.૨૮ જાતે- માચ્છી ધંધો- માચ્છીમારી રહે.હનુમાન મંદીર કલગામ, ઉમરગામ, વલસાડ હાલ રહે.- જગદીશભાઇ મોતીવરસની બોટમાં લકડી બંદર પોરબંદર)એ પોલીસને જાણ કરતાં હાર્બર મરીન પીએસઆઇ એન કે વાઘેલાએ તપાસ હાથ ધરી છે.