Saturday June 21, 2025

પોરબંદરમાં રામ લખન સોસાયટીના સંચાલક ભરત ઓડેદરાના આપઘાતથી સન્નાટો

પોતાની ઓફિસમાં ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લેવા પાછળનું કારણ તપાસશે પોલીસ

ઇન્જેક્શન પોતે જ લીધું છે કે પછી તેની પાછળ પણ કંઈક બીજું જ રહસ્ય છે તેની પણ થશે તપાસ

છેલ્લા દિવસોમાં ભરતભાઈ લક્ઝરીયસ લાઇફ જીવતા હતા અને ધાર્મિક સ્થળોમાં દાનની સરવાણી પણ રહેતી હતી

પોરબંદર
પોરબંદરની રામ લખન સોસાયટીના સંચાલક એવા ભરતભાઈ વિજાભાઈ ઓડેદરાએ ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા પોરબંદર શહેર અને જિલ્લામાં ચર્ચાની ચકચાર મચી ગઈ છે. આલિશાન લક્ઝરી લાઇફ જીવતા ભરતભાઈ અચાનક કઈ રીતે આપઘાત કરે એ વાત જનતાને ગળે ઉતરતી નથી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની રામ લખન સોસાયટીના સંચાલક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ અગ્રેસર રહેતા એવા ભરતભાઈ ઓડેદરા છેલ્લા ઘણા સમયથી આર્થિક રીતે સધ્ધર જણાતા હતા અને તેમની સામાજિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ વિશાળ હતી. ધાર્મિક સ્થળોમાં પણ તેમની દાનની સરવાણી વહેતી રહેતી હતી. આસપાસના ધાર્મિક સ્થળોમાં ગાયો માટેના દાનથી લઈને સાધુ સંતોને વિવિધ સહાય માટે પણ તેઓ જાણીતા હતા. તેમને આપઘાત કરવા માટેનું કારણ મળે એવા કોઈ જ સંજોગો દેખાતા ન હતા ત્યારે ભરતભાઈએ અચાનક ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધાની ઘટના પાછળ શું હકીકત છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અને પોલીસ તપાસ દરમિયાન ઉપની સપાટી પર જે કારણે દેખાય છે તે સિવાયનું જ કોઈ કારણ બહાર આવી શકે તેવી સંભાવના ન કરી શકાતી નથી. પોલીસ આ ઘટનાની જાણ થતાં જ તેમની ઓફિસે એટલે કે ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસ આ ઘટનાની તપાસ માટે બીજી ઘણી બધી જગ્યાએ પણ દોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top