Saturday June 21, 2025

પોરબંદર આદિત્યાણા રોડ પર રીક્ષા અડફેટે 60 વર્ષની અજાણી મહિલાનું મોત

પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ

પોરબંદર
પોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ કારાભાઈ ઓડેદરા (ઉ.વ.૪૫ ધંધો:- વેપાર રહે. શ્રી રામ ગૌશાળા પાસે, જ્યુબેલી, પોરબંદર)એ પીયાગો રીક્ષા રજી નં.GJ-25-U- 6210ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી પીયાગો રીક્ષા નં.GJ- 25-U-6210ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર ફુલ સ્પીડે, માનવ જીંદગી જોખમાય તે રીતે, ચલાવી અને અજાણ્યા (ઉ.વ.આ.૬૦) માજી રોડ ક્રોસ કરવા જતા હતા તે દરમ્યાન અડફેટે લઈ માજીને આંખ ઉપર તથા નાકના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પંહોચાડી, મોત નિપજાવી નાશી ગયો હતો. તા.૧૮/૧૨/૨૦૨૪ ના ૨૦/૪૫ વાગ્યાના અરસામાં પોરબંદર આદિત્યાણા રોડ નાયરા પેટ્રોલપંપની આગળ નોનવેજની દુકાન સામે જાહેર રોડ ઉપર બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ની કલમ- ૨૮૧, ૧૦૬(૧) તથા એમવી એક્ટ ૧૮૩, ૧૮૪, ૧૭૭,૧૩૪ મુજબ ગુનો દાખલ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ચાવડાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top