પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ
પોરબંદર
પોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ કારાભાઈ ઓડેદરા (ઉ.વ.૪૫ ધંધો:- વેપાર રહે. શ્રી રામ ગૌશાળા પાસે, જ્યુબેલી, પોરબંદર)એ પીયાગો રીક્ષા રજી નં.GJ-25-U- 6210ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી પીયાગો રીક્ષા નં.GJ- 25-U-6210ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર ફુલ સ્પીડે, માનવ જીંદગી જોખમાય તે રીતે, ચલાવી અને અજાણ્યા (ઉ.વ.આ.૬૦) માજી રોડ ક્રોસ કરવા જતા હતા તે દરમ્યાન અડફેટે લઈ માજીને આંખ ઉપર તથા નાકના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પંહોચાડી, મોત નિપજાવી નાશી ગયો હતો. તા.૧૮/૧૨/૨૦૨૪ ના ૨૦/૪૫ વાગ્યાના અરસામાં પોરબંદર આદિત્યાણા રોડ નાયરા પેટ્રોલપંપની આગળ નોનવેજની દુકાન સામે જાહેર રોડ ઉપર બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ની કલમ- ૨૮૧, ૧૦૬(૧) તથા એમવી એક્ટ ૧૮૩, ૧૮૪, ૧૭૭,૧૩૪ મુજબ ગુનો દાખલ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ચાવડાએ તપાસ હાથ ધરી છે.