જિલ્લા પાણી પુરવઠાની રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ કામો તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ
ચોમાસા દરમિયાન રાણાવાવ ગ્રુપ યોજના લાઈનમાં ભંગાણ થતાં ૨૧ ગામો શુદ્ધ પીવાના પાણી વંચિત ન રહે તે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પાણીનું વિતરણ કરાયું
પોરબંદર
પોરબંદર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ૩ તાલુકાના ૧૪૭ ગામોને પાણી પુરવઠો આપવા માટે ૬ જૂથ યોજના મારફ્ત શુદ્ધ પાણી પુરવઠો પૂરો પાડવામાં યોજનાં અમલી છે જેમાં ૧૪૭ ગામોમાંથી ૯૭ ગામો જૂથ યોજના મારફત પાણી આપવામાં આવે છે. બાકીના ગામો સ્થાનિક સોર્સમાં પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ હોવાથી સ્વૈચ્છિક રીતે પોતાના સોર્સમાંથી પાણી મેળવે છે.
જેમાં જિલ્લાના કુતિયાણા તાલુકાના ૪૦ ગામોને ૧૦૦ એલપીસીડી મુજબ પાણી આપવાની ઓગ્મેટેન્શન ઓફ કુતિયાણા ગ્રુપ યોજનાંમાંથી પાણી આપવામાં આવે છે તેમજ પોરબંદર તાલુકાના ૪૭ ગામોને ૧૦૦ એલપીસીડી મુજબ પાણી આપવા ઓગ્મેટેન્શન ઓફ પોરબંદર ગ્રુપ યોજના અંદાજિત રૂ.૭૪ કરોડ હાલ ડીટીપીએસ એપ્રુવલ સ્ટેજે છે.
વધુમાં રાણાવાવ ગ્રુપ યોજના હેઠળના ઘેડના ગામોને ૧૦૦ એલપીસીડી મુજબ પાણી પુરવઠો પૂરો પાડવા માટે ઓગ્મેટેન્શન ઓફ રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ છે
પાણી પુરવઠા દ્વારા લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે પ્રસંશનીય કામગિરી કરવામાં આવી રહી છે.રાણાવાવ ગ્રુપ યોજના અંતર્ગત કુલ ૪૫ ગામોનો સમાવેશ છે. જ્યાંથી ૨૧ ગામો માટે જતી ૬૦૦ મીમી ડી.આઈ. પાઈપ લાઈનમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે રાણા બોરડિ ગામ પાસે આવેલ તળાવમાં ધોવાણ થવાથી પાઈપ લાઈન જમીનમાં બેસી ગઈ હતી. અને ૩૦ મીટર જેટલા ગાળામાં પાઈપ લાઈન જોઈન્ટ માંથી નીકડિ ગઈ હતી અને તે તળાવની ઉંડાઈ અંદાજીત ૧૫ ફુટ જેટલી છે. જેથી તળાવ ખાલી ન થાય ત્યાં સુધી પાઈપ લાઈન બદલિ શકાય તેમ ન હતી અને આ પાઈપ લાઈનની કામગીરી માર્ચ – એપ્રીલ માસમાં થઈ શકે તેમ છે. તેથી જેને સ્થાનીક સોર્સમાં પીવાલાયક પાણી મળી રહે અને લાભાર્થી ગામોનો પાણી પુરવઠો ન ખોરવાય તે માટે તળાવને સામે છેડેથી છાયાં ન.પા.ની આઈડલ પાઈપ લાઈન જે છાયાં ફિલ્ટર પ્લાંન્ટથી થઈને આવે છે. જે ઘેડ વિસ્તારની પાઈપ લાઈનની બાજુ માંથી પસાર થતી લાઈનમાં ઘેડ વિસ્તારની પાઈપ લાઈન સાથે ચોમાસા દરમ્યાન જ તાત્કાલિક જોડાણ કરીને લાભાર્થી ગામોને પાણી વિતરણ યથાવત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા દ્વારા રાણાવાવ ગ્રુપ યોજના અંતર્ગત કુલ ૪૫ ગામોનો શુદ્ધ પાણી મળી રહે તેવા અભિગમથી જાવંત્રીગાળા ફિલ્ટર પ્લાંન્ટથી જતી પાઈપ લાઈન ઉપયોગમાં ન લઈ શકવાના કારણે જુથ યોજનાના ફિલ્ટર પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેના બદલે પાણી પુરવઠા દ્વારા રામગઢ પાટીયા પાસે છાયા ન.પા.ના ફિલ્ટર પ્લાંન્ટનો ઉપયોગ કરીને પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં નીયમો અનુસાર પાણી ફિલ્ટર કરી ક્લોરીનેશન કરી વિતરણ કરવામાં આવે છે. જીલ્લા લેબોરેટરી દ્વારા ગામોમાં વિતરણ કરતા પાણીના સેમ્પલ સમયાંતરે ગામના ટાંકા માંથી લઈને તેનું રાસાયણીક તથા બેક્ટેરીયોલોજિકલ ટેસ્ટ કરવામાં આવે છે.અને ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા પણ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.