
રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા
પોરબંદર
સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીની બહુમતી આવેલી હોય અને તેની નોંધ રાષ્ટ્રીય લેવલે પણ લેવાયેલ છે ત્યારે ચુંટણી પરીણામના બીજા જ દિવસે કાંધલ જાડેજા તેના અંગત મિત્રો એડવોકેટ ભરત લાખાણી તથા એમ. જી. શીંગરખીયાને મળવા માટે ડીસ્ટ્રીકટ કોર્ટ ના બાર રૂમમાં આવેલા હતાં. અને તમામ એડવોકેટો સાથે વિકાસના કામોની ચર્ચાઓ કરેલી હતી. અને પો૨બંદ૨ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના હોદેદારોએ પણ તેનુ અભિવાદન કરેલુ હતું. અને શુભેચ્છા મુલાકાતે આવવા બદલ આભારની લાગણી વ્યકત કરેલી હતી.

અને તે રીતે ચુંટણીના પરીણામોમાં જીત મેળવેલી હોવાછતાં પણ પોતાના મિત્રોને મળવા માટે કાંધલભાઈ પો૨બંદ૨ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના સભ્યોને મળવા માટે ખાસ પધારેલા હોય ત્યારે તેની આગવી સ્ટાઈલઝ બીજા રાજકીય લોકો માટે પ્રેરણારૂપ બની ગયેલ છે. અને જીત પછી પણ મિત્રોને ન ભુલવાની કાંધલભાઈની આવડત ને તમામ વકીલોએ શબ્દોથી બીરદાવેલી હતી. અને કાંધલભાઈ દ્રારા પણ તમામ વકીલમિત્રો ને સામાન્ય રીતે રાજકીય માણસો ની જરૂર પડતી નથી. તેવુ જણાવી આમછતાં કયારેય કોઈપણ કામ માટે જરૂર પડે તો જાણ ક૨વાની અને કામ થઈ જશે તેવી ખાત્રી આપેલી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી એ કરેલુ હતું. અને મોટાભાગના સીનીય૨ તથા જુનીયર એડવોકેટો હાજર રહેલા હતાં.

