કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષ 2024-25 વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગને લઇને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં સૂત્રોચાર સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
આ રીતે પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં એ.બી.વી.પી.ના યુવાઓ, વિદ્યાર્થીઓ જોડાયા હતા. આગામી સમયમાં જોવા આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.





(ફોટો:- કુંજન રાડિયા)