ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું.
ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ સેવક સમુદાય ના મોભી મનજીબાપા એ ભોજન પ્રસાદ અને ગુરૂઆશ્રમ માં આવતા સેવક સમુદાય ને કોઈ તકલીફ ન પડે તેણી વિશેષ કાળજી રાખતા હતા તેમજ અયોધ્યામાં પણ તાજેતર પ્રસાદની વ્યવસ્થા કરવામાં પુ. મનજીબાપા નું મોટું યોગદાન રહેલું છે.
પુ. મનજીબાપાની વિદાય થી સમગ્ર સેવક સમુદાય અને પરિવાર ઉપર આવેલ આ આફત નો સામનો કરવાની પ્રભુ તેમને શક્તિ આપે.
પુ. મનજીબાપા ના અવસાન ના સમાચાર મળતા પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને પરમ કૃપાળુ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

