Friday June 20, 2025

બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ

અંધશ્રદ્ધામાં રાચતા મીઠાપુરના પ્રૌઢએ એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ

      જામ ખંભાળિયા

દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી અંધશ્રદ્ધામાં રહેતા તેઓ અલગ અલગ પ્રકારનો વ્યવહાર કરતા હતા.

        આ પરિસ્થિતિમાં ગત તારીખ 1 ના રોજ તેમણે પોતાના ઘરે પોતાના હાથે એસિડ પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વેજાભાઈ બાલુભાઈ ચાનપા (ઉ.વ. 52) એ મીઠાપુર પોલીસને કરી છે.

____________________________________________________________________________

બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ

       ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા વેજાભાઈ પીઠાભાઈ જાડેજા નામના 60 વર્ષના વૃદ્ધ થોડા દિવસો પૂર્વે ભાણવડના ત્રણ પાટીયાથી જામજોધપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વાનાવડ ગામના પાટીયા પાસે કૂતરું આડું ઉતરતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

       આ બનાવ અંગેની જાણ જામ ખીરસરા ગામના રામદેભાઈ મુરુભાઈ વાઘ (ઉ.વ. 38) એ ભાણવડ પોલીસને કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top