Saturday June 21, 2025

બાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ઉ. સરદારનગર વોર્ડના બુથ નં. ૧૮૨માં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કર્યું

ભાવનગર
ઉત્તર સરદારનગર વોર્ડના બુથ નંબર ૧૮૨ ખાતે, બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અંતર્ગત ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારના ઘરે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ મનાવવામાં આવેલ, જેમાં ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કરેલ. આ પ્રસંગે શહેર ભાજપ મંત્રી જીતુભાઇ બોરીસાગર, દંડક ઉષાબેન બધેકા, પૂર્વ સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તે સમયના વર્તમાન વોર્ડ પ્રમુખ ભરતભાઇ દિહોરા અને નવા વોર્ડ પ્રમુખ હાર્દિપભાઈ જાંબુચા, પૂર્વ કોર્પોરેટર શીતલબેન પરમાર, શાશક પક્ષના પૂર્વ નેતા બુધાભાઈ ગોહેલ, ભગવનભાઈ સાટીયા તેમજ પુષ્પકસિંહ ગોહિલ, બુધાભાઈ કંટારીયા, પ્રવીણભાઈ ડાભી, દિલીપસિંહ સહિત બુથના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ પરમારે તેમજ આભારવિધિ નવનિયુક્ત વોર્ડ પ્રમુખ હાર્દિપભાઈ જાંબુચાએ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top