
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે બિરાજમાન કોટેચા પરિવારના પૂજ્ય વાછરા ડાડાના વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી સોમવાર, તા. 21 ને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવ્યું છે.
દર વર્ષની પરંપરા મુજબ મોડપર ગામમાં વાછરા ડાડાના યોજવામાં આવેલા આ ભવ્ય યજ્ઞના પાવન પ્રસંગે કોટેચા પરિવારના તમામ સભ્યો પરિવાર સહિત ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ આયોજનમાં સહભાગી થવા માટે મોડપર સેવા સમિતિનો તેમજ વધુ માહિતી માટે જયદીપભાઈ કોટેચા (મો. 72850 24384) નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)