Friday June 20, 2025

ભાવનગરમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાયી અનુમાન જયંતિ

રાજભા ગોહિલ, ભાવનગર

હનુમાન જયંતી અને શનિવારના શુભ દિવસે શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, તળાજા રોડ ભાવનગર ખાતે 125 થી વધુ નાના નાના બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તેમજ એક વિશિષ્ટ સન્માન સમારંભ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો , જેમાં એસ ટી રાજનનું નાના નાના બાળકો તથા સ્વપ્નેશ્વર મહાદેવ પરિવારના ભાઈઓ બહેનો તેમજ સોસાયટીના સભ્યો ની વિશેષ હાજરીમાં સંપન્ન થયો હતો, સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુનિલભાઈ શ્રીવાસ્તવજી સતત કામકાજમા રહ્યા, ,તેમજ હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અલગ અલગ ગૌશાળામા ગૌ માતાને સવારે 10:00 કલાકે 218 મણ મકાઈ ની લીલી જાર – ગૌ ચારો પીરસવામાં આવ્યો, કૈલાશ પરિવારના સભ્ય રાજનને કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટનું સર્વોચ્ચ “કૈલાશ રત્ન” એવોર્ડ તથા ખુબ જ સરસ મોમેન્ટો ગ્રુપના સભ્ય અને સર્વેશ્વર ગૌધામ કોબડી ગૌશાળાના સક્રિય સેવક જેતાણી (બુધેલ) , શતકવીર રક્તદાતા હનુમંતસિંહજી ચુડાસમા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેદારભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો એ કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મનોજભાઇ વાજા, સુનિલભાઈ શ્રીવાસ્તવજી, પ્રિતીબા રાજેન્દ્રસિંહજી ગોહિલ ના વરદ્ હસ્તે અર્પણ કરવામાં આવેલ, સોસાયટીના વડિલ સભ્યો પણ ખાસ હાજર રહી રાજનનું આદર સત્કાર કરેલ, આ કાર્યક્રમમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય ડી ડી ગોહિલ (એડવોકેટ) તથા સંજયભાઈ વ્યાસ સેવા કાર્ય માટે સાથે રહ્યા હતા.. આ સાથે વિજયસિંહ ગોહિલ, કૌશિકભાઈ ઉપાધ્યાય, પ્રવીણભાઈ વેદરાજ, દ્વારકેશભાઈ તથા વિશ્વરાજ ભાઈ સહિત નાના મોટા બાળકોએ ખૂબ જ સેવા ફરજ બજાવી હતી, બહેનો એ પણ બટુક ભોજન પીરસવાની ખૂબ જ સેવામા સાથ આપ્યો હતો, ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો યુવાનો ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.. મહેમાનો એ તેમજ રાજને કાર્યક્રમ અનુસંધાને પોતાનું મનનીય્ વ્યક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રાજેન્દ્રસિંહ જે. ગોહિલ (રાજભા) દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top