Friday June 20, 2025

ભાવનગરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત

વિપુલ હિરાણી, ભાવનગર

ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી .

આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક મળતી વિગતો અનુસાર યુવકને પારિવારિક પ્રશ્નોને લઈને આ પગલું ભર્યું હોવાનું તેની પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાંથી જાણવા મળેલ છે. સ્યુસાઈડ નોટ પોલીસ એ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top