
વિપુલ હિરાણી, ભાવનગર
ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી .
આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક મળતી વિગતો અનુસાર યુવકને પારિવારિક પ્રશ્નોને લઈને આ પગલું ભર્યું હોવાનું તેની પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાંથી જાણવા મળેલ છે. સ્યુસાઈડ નોટ પોલીસ એ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.