Saturday June 21, 2025

ભાવનગરમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરીને શહેર સંગઠને ૭૬મા ગણતંત્ર દિનની ઉજવણી કરી

ભાવનગર

તારીખ ૨૬-૦૧-૨૦૨૫ અને રવિવાર ના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે, અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના વરદ હસ્તે ધ્વજ વંદન દ્વારા શહેર ભાજપ સંગઠને ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી, જેમાં અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા સહિત સમગ્ર શહેર સંગઠન, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, શિક્ષણ સમિતિ અને નાગરિક બેન્કના હોદ્દેદારો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શહેર ભાજપ અધ્યક્ષે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતની પરિકલ્પનામાં ભાવેણા કેવું હોય શકે ? તે જણાવતા ભાવેણાના પૂર્ણ થયેલ વિકાસના કામો તેમજ આગામી પ્રકલ્પો તેમજ શહેર ભાજપ કાર્યાલયના વિસ્તૃતિકરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અંતે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા બાજપાઈજીની કવિતાની પંક્તિઓ ટાંકીને કાર્યકરોને પ્રેરિત કર્યા હતાં. ત્યાર બાદ મોઢું મીઠું કરીને સહુ છુટા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top