Friday June 20, 2025

ભાવનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું “સુંદર” આયોજન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧

ભાવનગરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન તા. ૧૨.૪.૨૦ર૫ને શનિવારના રોજ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન શ્રી જયંતભાઇ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં. ૨૬૮૬, માતૃઆશિષ, વળીયાનો ખાંચો, ફુલવાડી ચોક પાસે, હિલ ડ્રાઇવ, ભાવનગર મુકામે રાખેલ છે. આ સંગીતમય પાઠનું પઠન શ્રી રામદાસ નિમાવત અને તેમનું સંગીતવૃંદ કરશે. તો આ શુભ પ્રસંગમાં ભાવીકજનોને સમયસર જોડાવા વિનંતી છે. ભાવીકજનો ને સુંદરકાંડ પુરા થાય પછી પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જયંતભાઇ વનાણ (બુધાભાઇ પટેલ) પરિવાર દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top