ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા
ભાવનગર
શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ ખાતે જાહેર જનતા માટે થઈને ગુરુ ગોવિંદસિંહજીના બન્ને પુત્રોની શહાદત અંગેની ફિલ્મ દર્શવવામાં આવેલ, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશના પ્રવક્તા પ્રકાશભાઈ સોની, મેયર ભરતભાઇ બારડ, પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે તેમજ શીખ અને સિંધી સમાજના સંતો, મહંતો અને મહાનુભાવો તેમજ ત્રણેય મહામંત્રીઓ સહિત શહેર અને વોર્ડ સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહિલા મોરચા સહિત તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ બાળકો, મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે અભયસિંહ ચૌહાણના કાર્યકાળ દરમ્યાન શરૂ થયેલ ‘વિશ્વ બાલ દિવસ’ની આ પ્રકારે બીજી વાર ઉજવણી થઈ રહી હતી. ફિલ્મ જોઈને લોકો ભાવુક બન્યા હતા તે જોઈને લોકસંસ્કાર સીંચવાનો આ પ્રયાસ સફળ રહ્યો હતો.




