પોરબંદર
પોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા ફાંસો ખાઇ જતા મરણ ગયા છે. તા.૮/૨/૨૦૨૫ના કલાક ૧૨/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં બગવદર પોલીસે તપાસ હાથ ધરી છે.