Saturday June 21, 2025

મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગર
પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09229 માટે બુકિંગ 31.12.2024 (મંગળવાર)થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. સ્ટોપેજ‚ સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top