જગત મહેતા, મહુવા
મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત કલ્યાણ સંગઠન દ્વારા આજે સફેદ ડુંગળીનો એક મણનો ભાવ ૧૨૫ ૧૬૫ થવાથી ખેડુતો નારાજ હતા તેથી ડુંગળીના ભાવ બાબતે ભરતસિંહ તરેડી,હરેશભાઈ ખુમાણ વડાળ, હુસેનભાઇ કુરેશી વાઘનગર વિગેરે આગેવાનોએ ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો પ્રોગ્રામ શરૂ કરતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયાં અને ડુંગળીની હરાજી બંધ કરાવી અને ભરતસિંહે આક્રોશ સાથે ધારદાર વક્તવ્ય આપતાં યાર્ડનુ તંત્ર સફાળું જગ્યુ અને સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી સ્થળ પર આવી એક કલાક સુધી લાંબી ચર્ચાના અંતે એક મણ ડુંગળીનો ભાવ ૨૦૦ કરી આપવાની ખાત્રી સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ આપતાં સફેદ ડુંગળીની હરાજી દોઢ કલાક પછી શરૂ થઈ અને એક મણનો ભાવ ૨૦૦ થયો તેથી ખેડુતોમાં ખુશી દેખાય અને ભરતસિહની જીગરને મર્દેઝામ જામ તરીકે બીરદાવી છતાં ભરતસિંહે બે વખત યાર્ડમાં ઝાકાઝીક બોલાવી અને મારાથી કે કોઈ સમરબધી ભાવ વધે નહી પણ ડુંગળીના ભાવ દબાવી રાખે છે તે સ્થળ પર સાબીત થયું અને ખેડુતોના મતથી જીતેલા યાર્ડના, ધારાસભ્ય અને સંસદ સભ્યોની ખેડુત વિરોધી નીતિ જાહેરમા ખુલ્લી કરી અને ખેડુતોને એક થવા હાકલ કરી તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત.હરેશભાઇ ખુમાણ વડાળ, હુસેનભાઇ કુરેશી વાઘનગર વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે