Saturday June 21, 2025

મેયર ભરતભાઇ બારડના માતા સ્વ. ગીરજાબેનનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગર
તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top