પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ના માણસો આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પોલીસના બી.એન.એસ ૧૧૫(૨),૧૧૮(૨),૧૧૭(૪),૧૮૯(૨),૧૯૧(૨),૧૯૩(૩),૧૯૦,૩૫૨,૩૫૧(૩),૩૨૪(૨),૩૨૯(૩), ૬૧(૨)(એ) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હામાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી ભરત કારાભાઇ મકવાણા (ઉ.વ.૨૪ રહે.આશાપુરાચોક ગેસ ગોડાઉન પાછળ પોરબંદર)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમા એએસઆઇ એસ.આર.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ આર.બી.ડાંગર, બી.જે.દાસા, કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, સરમણ દેવાયતભાઇ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ વિગેરે રોકાયેલ હતા.
