જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મહાપર્વ એવા રામનવમીની અનુલક્ષીને ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી થાય તે હેતુથી અહીંના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના ઉપક્રમે આગામી શનિવાર તારીખ 22 માર્ચના રોજ અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે રાત્રે 8:30 થી 9:30 વાગ્યા સુધી ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા સહિતના આયોજનોની પૂર્વ તૈયારીના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત રહેવા સર્વે ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)