કારખાનેદાર પોતાના સસરાના ગામ પાણીયાળીથી પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બનેલો બનાવ
ભાવનગર
ભાવનગર તાલુકાના લાખણકા ગામે આવેલ મોખડાજી મંદિર નજીક એક હીરાના કારખાનેદારને ખદરપરના બે શખ્સોએ રોકીને બાવળની કાંટમાં લઈ જઈને લાકડાના ધોકાથી માર માર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. લાખણકામાં હીરાનું કારખાનું ધરાવતા અશોક ચૌહાણ પોતાના સસરાના ગામ પાણીયાળી ખાતે એક સામાજિક પ્રસંગને લઈને ગયા હતા અને પછી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવનગર તાલુકાના લાખણકા ગામે હીરાનું કારખાનું ચલાવતા અશોક પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.32)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિપુલભાઇ ભીમજીભાઇ સોલંકી તથા અજયભાઇ દે વરાજભાઇ સોલંકી (રહે.ખદરપર)એ ફરીયાદીને ને કહેલ કે કેમ મસ્તી કરતો હતો? તેમ કહી બંન્ને ભુંડાબોલી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીને રસ્તામાંથી બાવળની કાટમા લઇ ગયેલ અને બંન્નેના હાથમા લાકડાના ધોકા હોય જે ધોકાથી બંન્ને જણાએ ફરીયાદીને બંન્ને હાથે તથા વાસામાં તથા પગે લાકડાના ઘોકા વતી માર મારી મુઢ ઇજા કરી હતી. બનાવ અંગે ગોગા પોલીસમાં ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ ચુડાસમાએ તપાસ હાથ કરી છે. પોલીસને ફરિયાદી પાસેથી એ જાણવા મળ્યું છે કે ફરિયાદી પોતાના ગામ પોતાના સસરાના ગામ પાણીયાળી ખાતે ગયા હતા અને ત્યાં જમણવારમાં ફરિયાદી અને આરોપી ભેગા થયેલા અને ત્યાંથી ફરિયાદી પોતાના ગામ લાખણકા આવી રહ્યા હતા ત્યારે મોખડાજીના મંદિર પાસે બંને આરોપીઓએ ફરિયાદી અશોકભાઈને રોકીને માર માર્યો હતો. પોલીસ તપાસ ચાલુ છે.