અમદાવાદ
વિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને ડો પ્રફુલ ઠાકરે તેમને વિજેતા જાહેર કર્યા છે.
