
હરેશ પરમાર, ભાવનગર
ભાવનગરમાં તા. ૧૨/૦૨/૨૦૨૫ અને બુધવારના રોજ કુંભારવાડા સર્કલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અનુ. જાતી મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસ બાપુની ૬૪૮ મી જન્મજયંતી ઉજવવામાં આવેલ જેમાં મહામંત્રી નરેશભાઈ મકવાણા, વડવા- બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા, મોહનભાઈ બોરીચા, પૂર્વ મેયર બાબુભાઇ સોલંકી, દિલીપભાઈ જોગદીયા, નીતિનભાઈ વેગડ, અનુ. જાતી મોરચાના પ્રમુખ ભરતભાઈ મકવાણા, મહામંત્રી નલીનભાઈ પટેલ, અરવિંદભાઈ રાઠોડ તથા સ્થાનિક હોદ્દેદારો અને અનુ. જાતી મોરચાના કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને સંત શિરોમણી ગુરુની તસ્વીરને પુષ્પાર્પણ કર્યા હતાં તેમ ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.
