ભાવનગર
બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉમળકાભેર વધાવ્યો હતો.




