Saturday June 21, 2025

સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો

ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન

ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે

યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું, વિગેરે લખીને છેતરપિંડી થાય છે

ભાવનગર

ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૪૭ ની ૧૫ જાન્યુઆરીએ પોતાનું રાજ પ્રજાના કલ્યાણ માટે અને અંગ્રેજોને હટાવવા અર્પણ કરેલું તેને ત્યાગ દિવસ તરીકે ઉજવાય છે તેથી ખેડુત કલ્યાણ સંગઠન દ્વારા તા.૧૫/૧/૨૦૨૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોનુ સ્નેહ મિલન યોજાશે તેમજ આ સંમેલનમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન ચરિત્ર યાદ કરાશે અને સ્વઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રંત્ન આપવાની માગણીનો બુલંદ અવાજ બનવા તમામ ધર્મના વડાઓ, તમામ સંગઠનના ખેડુત આગેવાનો,તમામ રાજકીય પક્ષોના નેતાઓ,સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, જીલ્લાના તમામ ખેડૂતો અને લોકોને હાજરી આપવા જાહેર આમંત્રણ તેમજ આ સ્નેહ મિલનમા કૃષ્ણકુમારસિંહજીએ પ્રજા અને ખેડુત લક્ષી કરેલા કાર્યોનું વર્ણન થશે.
ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાન ભરતસિંહ પોપટભા તરેડીએ જણાવ્યું કે હાલમાં ખેડુતોની ખેતપેદાશોના ભાવ વધારા માટે લડત આપવા શંભુ બોર્ડર પર અસંખ્ય ખેડુતો બેઠાં છે તેને અને ૪૭ દિવસથી અનશન પર બેઠેલા જગજીતસિહ ડેલ્લેવાલને ખુલ્લુ સમર્થન જાહેર થશે તેમજ જગજીતસિંહ ને અનશન છોડાવવા પંજાબના ભાજપના નેતાઓ શીખ ધર્મના વડાઓને રીઝવવા કાલાવાલા કરે છે તો વડાપ્રધાન અને કૃષિમંત્રી પાસે જઈને ભલામણ કરવામાં શું નડે છે તે સમજાતું નથી તેથી સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારે અન્યથા સરકારને પસ્તાવાનો સમય દુર નથી તેથી આજના શાસકોને પ્રજા અને ખેડુતનુ હિત કરવા યાદી અપાશે છતાં હાલના શાસકો સુધરશે નહિ તો આવનારી નાનીમોટી તમામ ચુંટણીઓમા સત્તાધારી પક્ષને હરાવવા આ સંમેલનમાં પ્રતિજ્ઞાઓ લેવાશે.
તેમજ આ સંમેલનને સફળ બનાવવા નિકુંજસિહ ઝાલા ઉખરલા,રાજભા સોસીયા, ઘનશ્યામભાઇ પટેલ નાવડા,રાજેશભાઈ કોલડીયા મહુવા-જેસર પ્રમુખ, લાલજીભાઈ વેગડ લાખણકા,દીલુભા જુનાપાદર, ગણેશભાઈ સેતા ભુભલી, ભાણાભાઈ આહિર,સાગર કલાણીયા જસપર, વિપુલભાઈ બારૈયા ભડી, મોહનભાઈ પટેલ દલીત સમાજ અગ્રણી ભંડારીયા,મહેશ વળીયા ભંડારીયા,લલ્લુભાઈ પટેલ સીદસર,વીરજીભાઇ જસાણી, કિરીટભાઇ ગોધાણી ટાણા, રાજેન્દ્રસિંહ ઉખરલા રમેશભાઈ જાની સાખડાસર,ગોબરભાઇ ભરવાડ ગોરસ વિગેરે આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે,
તેમણે વધુમાં કહ્યું કે આ સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થશે ભાવનગર માર્કેટીગ યાર્ડમાં કે કોઇપણ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કે કોઇપણ જણસીમા એક કિલો કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે સંદતર બંધ કરવા,ખેડુતો ડુંગળી કતાન કે પ્લાસ્ટિકની થેલીમાં લાવે તે માન્ય રહેશે અમુક વેપારીઓ કે યાર્ડ તરફથી પ્લાસ્ટિકની થેલી હશે તો ભાવ ઓછા આપશું અને હરાજી નહિ થાય તેવી ગુપ્ત ધમકી આપે છે તે બંધ કરો તેમજ કોઇપણ જણસીની હરાજી એક રૂપિયથી છે તે બંધ કરી રૂપિયા ૧૦ થી ૧૦ વધારાની બોલી થવી જોઈએ એક રૂપિયો ભીખારી પણ નથી લેતા તેમજ ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન (સાથેસાથે,,મંજુરી ) વિગેરે નો કાર્ડવડ શબ્દ બોલી કમીશન ઉઘરાવે છે તેમજ કિલો બે કિલો બકાલાની થીલી અમુક દલાલો ઘરભેગી કરે છે અને ગરીબ ખેડૂતોને દબાવે છે તેમજ યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું, વિગેરે લખીને છેતરપિંડી થાય છે તે બકાલાના માફીયાઓ છે તેના લાઇસન્સ યુધ્ધના ધોરણે રદ કરો તેમજ બકાલુ બીજા જીલ્લા માંથી અમુક માથાભારે વેપારી માફીયાઓનુ આવે છે તે ઝેરી ગટરોના પાણીથી પકવેલું હોય છે અને તે બકાલુ સાંજે યાર્ડમાં આવે છે અને સ્થાનિક ખેડુતોનુ શુધ્ધ બકાલુ વહેલા પાંચ વાગ્યે આવે છે તેમાં સ્થાનિક ખેડૂતોને બકાલાના માફીયા વેપારીઓ ગુપ્ત રીતે લૂંટે છે તેથી યાર્ડમાં બકાલુ સવારે ચારથી પાંચ દરમ્યાન તમામને પ્રવેશ આપવો અને હરાજીનો ટાઇમ ખેડુતોની માંગણી પ્રમાણે નક્કિ કરવો વગેરે નિર્ણયો સ્થળ પર લેવાનું એલાન થશે તેથી તમામ ખેડૂતોને હાજરી આપવા વિનંતી યાર્ડોમા ચાલતી ગોલમાલોમા યાર્ડના નેતાઓ અને બાબુઓની મીલીભગત હોય શકે તે સંદતર બંધ કરો તેવો શંખનાદ થશે.
વર્ષોથી અમારી સરકારમા રજુઆતો છે કે ગુજરાતના ૭૦ ટકાથી વધારે ખેડુતોના મુખ્ય ત્રણ પાકો છે તેમાં કપાસ-શીગં-ડુગંળી અને દુધનો વ્યવસાય છે તેના ગગડતાં ભાવથી મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે તેનો ઉકેલ લાવવો‌ સરકાર માટે આશાનીથી થઈ શકે તેમ છે પણ સરકારની નીતિ સાફ હોવી જોઈએ તેની વિગતે ચર્ચાઓ થશે તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top