
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે અને મુસ્લિમ સમાજના લોકો પણ રહે છે. ત્યારે આમ આદમી પાર્ટીને હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક થઈને આખી પેનલને વિજયી બનાવી છે.
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ જીત થઈ હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરી, આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)