સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ
ભાવનગર
તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, નરેશભાઈ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, શહેર અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યકર્તાઓ અને ભાવનગરની જનતાએ ભારતરત્ન શ્રી અટલજીના જીવન ચિત્રોની પ્રદર્શીની જોઈને અટલજી પ્રત્યે પોતાનો ભાવ વ્યકત કરેલ.


