
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન (16333)ના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શ્રી અતુલ કુમાર ત્રિપાઠી, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ભાવનગર ડિવિઝનના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ સેન્ટ્રલ – વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશનથી 23.06.2025 (સોમવાર) થી કરવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 16333 વેરાવળ – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ના કોચની સંરચનામાં પરિવર્તન વેરાવળ સ્ટેશનથી 26.06.2025 (ગુરુવાર) થી કરવામાં આવશે.
કોચની સંરચનામાં ફેરફાર કર્યા પછી, આ ટ્રેનોમાં સેકન્ડ એસીના 2 કોચ, થર્ડ એસીના 4 કોચ, થર્ડ એસી ઇકોનોમીના 3 કોચ, સ્લીપરના 6 કોચ અને જનરલના 4 કોચ સાથે પાવર કાર અને પેન્ટ્રી કાર મળીને કુલ 22 કોચ હશે.
આ ટ્રેનના સ્ટોપેજ, કોચ સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.