જામ ખંભાળિયા, તા.14/2/25
દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામની હદમાં ચંદ્રભાગા દરિયાના કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો. અહીં આશરે 45 વર્ષનો અજાણ્યો યુવાન કોઈપણ રીતે અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવા અંગેની નોંધ એસઆરડીના જવાન જાલુભાઈ લખુભાઈ વાઘેલાએ કરાવતા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ તેમજ તેના વાલી વારસની શોધખોળ માટેની કાર્યવાહી કરી હતી.