Headlines

એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત: રામનગરના યુવાનની હત્યામાં વિગતો પ્રકાશમાં આવી

– – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬       ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી મેળવેલા પોલીસ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી વિગતોમાં યુવાનના એક તરફથી પ્રેમની બાબત પ્રકાશમાં આવી છે.       …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલી કરાઈ : 98 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

– જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ  ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલીઓ કરી જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ વિગેરે દરજ્જાના કુલ 98 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી છે.       જેમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિપકભાઈ…

Read More

ખંભાળિયા: નદીના કીચડમાં ફસાઈ ગયેલી ગૌમાતાનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠક પાસે આવેલી નદીમાં કીચડ માં એક ગાય ફસાઈ ગઈ હોવા અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.       ગંભીર રીતે કીચડમાં ફસાઈ ગયેલા આ ગૌમાતાને બહાર કાઢવી ખૂબ જ કઠિન…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની કિંમત રીતે થઇ ગુજરાતની સૌથી અનોખી ઉજવણી?

– જિલ્લાના દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ તથા ભારતીય નૌકાદળના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના અતિ દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. …

Read More

ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬       દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.      સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની…

Read More

ભાણવડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ : કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું

– ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે પોલીસ…

Read More

દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. – ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –   સૂર્યાસ્તના સમયે…

Read More

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.      આ…

Read More

ખંભાળિયામાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬        ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત…

Read More

ખંભાળિયામાં જુદા જુદા સ્થળોએ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬       ખંભાળિયા પંથકમાં તાજેતરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવ બનવા પામ્યા હતા. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ “નેત્રમ” સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સ્ટાફના હેમતભાઈ…

Read More