Headlines

પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી

– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ        ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)

Read More

દ્વારકાના જગતમંદિરમાં રવિવારે વસંત પંચમી મહોત્સવની થશે ભવ્ય ઉજવણી: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

– – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫      દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં આગામી રવિવાર તા. 2 ના રોજ મહા સુદ પંચમીના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. જે સંદર્ભે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે.            તા. 2 ના સવારના દર્શન નિત્યક્રમાનુસાર યોજાશે. બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી યોજાશે. જે 2:30…

Read More

ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ

– એનિમલ કેરના કાર્યકરોની જહેમત સફળ –  જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામના વાડી વિસ્તારમાં ત્રણેક દિવસથી શિયાળ કૂવામાં પડી ગયું હોય, આ અંગેની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જે સંદર્ભે સંસ્થાના સભ્યો દેસુર ધમા, હિરેન ગોસ્વામી…

Read More

ભાટિયાની સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એક માત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસત્તાક પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         આ હોસ્ટેલમાં દીકરીઓને શિક્ષણ અને કેળવણીની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા શ્રેષ્ઠ પ્રયત્નો સંસ્થાના સંચાલકો દ્વારા સતત કરવામાં…

Read More

ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર અને આણંદના બિઝનેસમેન હિતેશ દત્તાણીનો જન્મદિવસ ઉજવાયો

જામ ખંભાળિયા      ખંભાળિયાના જુના અને જાણીતા દત્તાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જીવનભાઈ જેઠાલાલના સુપુત્ર હિતેશભાઈ દત્તાણી નો શાનદારરીતે ઉજવાયો હતો. તારીખ 31 જાન્યુઆરી 1969 ના રોજ જન્મેલા હિતેશભાઈ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે વ્યવસાયના હેતુથી સ્થાયી થઈ, અને અહીં એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. આણંદના જાણીતા અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ…

Read More

ઇન્ડિયન ઓઇલ કંપનીની સેવા પ્રવૃત્તિ: ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અપાયું નેત્ર સારવાર મશીન

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (વાડીનાર) દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આંખના દર્દીઓ માટે મહત્વનું એવું ફેકો મશીન અર્પણ કરવામાં આવ્યું છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના પ્રયાસોથી સિવિલ હોસ્પિટલને…

Read More

ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે ધાક બેસાડવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ તેમજ લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા કાયદાનો ભંગ કરનારા શખ્સો સામે ધાક…

Read More

ખંભાળિયાના યુવા એડવોકેટ ભવ્ય કોટેચાની રેલવે પેનલમાં નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા વકીલ ભવ્ય આર. કોટેચાની વેસ્ટર્ન રેલવેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રતિભાશાળી એડવોકેટ ભવ્ય કોટેચાને વકીલ મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. (ફોટો:- કુંજન રાડિયા)

Read More

દેવભૂમિ દ્વારકાને મળ્યા વધુ એક ડીવાયએસપી : એસ.સી. એસ.ટી. સેલ વિભાગનો ચાર્જ સંભાળતા વિસ્મય માનસેતા

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મયભાઈ માનસેતાએ તેમનો તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.       પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ડીવાયએસપીનું પ્રોબેશનલ પિરિયડનું પ્રથમ પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં મેળવ્યા બાદ અહીં નોંધપાત્ર…

Read More

ખંભાળિયાના ચુડેશ્વર વિસ્તારમાંથી પરિણીત મહિલા લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન સબીર હારુન બસર (રહે. બેડી – જામનગર) ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચૂડેશ્વર ગામે આવી હતી. ત્યારે તારીખ 25 મી ના રાત્રીના નવેક વાગ્યાથી તારીખ 26 ના…

Read More