ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ 7 સમિટ્સ પૂર્ણ કર્યા:

– 7 સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૫-૨૦૨૫        ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર 2021 માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે 2022 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો…

Read More

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: જયસુખલાલ રામજીભાઈ ગોકાણી (ભાડથર વાળા) ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 46) તે આશાબેનના પતિ, રૂપેશભાઈ ગોકાણી (પ્રાથમિક શિક્ષક) તેમજ ચાંદનીબેન પ્રમોદભાઈ કોટેચા (કાટકોલા) ના મોટાભાઈ તેમજ ભાવિશાબેન (પ્રાથમિક શિક્ષક) ના જેઠ, વંશીકા અને સાન્નિધ્યના પિતા તથા વલ્લભદાસ સોનૈયા (કલ્યાણપુર) ના જમાઈ તા. 12 રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા અને…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા…

Read More

ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની અવરજવર લોકો માટે મુસીબત બની રહી છે. અહીંની સુપર માર્કેટ પાછળના વિસ્તારમાં આજે સવારે બે રખડતા ઢોર સામસામે સામે આવી જતા હાહાકાર મચી ગયો હતો. જેથી અહીંના રાહદારીઓ અને દુકાનદારો જીવ બચાવવા દોડ્યા હતા. આ યુધ્ધમાં અડધા ડઝન જેટલા સ્કૂટરોને નુકસાન પહોંચ્યું હતું.  …

Read More

ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને…

Read More

પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી…

Read More

કરારના વિશિષ્ટ પાલન અને કાયમી મનાઈ હુકમ મળવા અંગેનો દાવો ફગાવતી ખંભાળિયાની અદાલત

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના રામનગર ગામની ખેતીની જમીન ગુજ. સતવારા રામજી વિરા નકુમે રામનગરના રહીશ વેલજીભાઈ મનજીભાઈ કછટીયાને રજીસ્ટર વેચાણ સોદાખતથી વેચાણ આપી હતી. ત્યારથી તે જમીનનો કબજો વેલજી મનજી કછટીયાનો હોવાનું જણાવી, ગુજ. સતવારા રામજી વિરાના વારસો દસ્તાવેજ કરી આપે તે બાબતે કરારના વિશિષ્ટ પાલન તથા કાયમી મનાઈ હુકમ…

Read More

વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ

–  પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી.       વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ…

Read More

ખંભાળિયાની પ્રેસિડેન્ટ શાળામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા       ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.          આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના…

Read More