Friday June 20, 2025

ખંભાળિયાની પ્રેસિડેન્ટ શાળામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા       ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.          આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના […]

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા         દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચ તથા એપ્રિલ માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.      જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ […]

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.         ખંભાળિયા શહેરની […]

સદાબહાર અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદમાં થશે ઓલમ્પિક: પરિમલ નથવાણી

– સ્થાપના દિને અમદાવાદીઓને શુભેચ્છા પાઠવતા શ્રી નથવાણી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને […]

ખંભાળિયા બન્યું શિવમય: શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પર્વે ઠેર ઠેર શિવનાદ ગુંજ્યો

– સવારથી વિવિધ શિવ મંદિરમાં ઉમટી શિવ ભક્તોને ભીડ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી જ ખંભાળિયામાં શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નાના-મોટા તમામ શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી.         આજરોજ શિવરાત્રી […]

ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને […]

નંદાણા ગામેથી દસ વર્ષ પૂર્વેના બોકસાઈટની ચોરીના કેસમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારાઈ

– રૂ. 20 હજારનો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ભોગાત ગામ વચ્ચે ડમ્પરમાં બોકસાઈટ ભરીને નીકળતા આ અંગે […]

ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી

જામ ખંભાળિયા       ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત

ઓખા         મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે. 

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે […]

Back to Top