Headlines

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More

વનતારા સ્થાપના દિવસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્યપ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર, 2 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ,…

Read More

જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ

​રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ​ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More

ઓખા અને પોરબંદરની ચાર જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬          પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.      જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી…

Read More

દ્વારકા ખાતે કાયદાકીય જાણકારી અને માહિતી માટે જામનગર ઝોનની એક દિવસીય તાલીમ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬        ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશનની કચેરી, ગાંધીનગર દ્વારા જામનગર ઝોનમાં આવતા જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના તમામ સરકારી વકીલો, સરકારી તબીબો, પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટઓ, સર્કલ ઓફિસરો માટે તાજેતરમાં એક દિવસીય તાલીમનું આયોજન દ્વારકા ખાતે લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું….

Read More

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬      શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.       લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More