Friday June 20, 2025

ખંભાળિયાના સલાયામાં યોજાયો રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારોહ

– મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ થયા પુરસ્કૃત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.          સલાયા […]

ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.       આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક […]

THE GREAT JOURNALIST ખંભાળિયાની જાનદાર જર્નાલિસ્ટ જાનવી સોનૈયાએ વધુ એક વખત વધાર્યું ભારત દેશનું ગૌરવ

– રશિયા ખાતે ‘બ્રિક્સ’માં યુવા પત્રકારો સાથે ખાસ કાર્યક્રમમાં આમંત્રિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫       ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) તેમજ હીના સોનૈયાની સુપુત્રી જાનવી સોનૈયાએ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કાર્યરત રહી, અને વૈશ્વિક મંચોએ ઓળખ મેળવી છે. જાનવી સોનૈયાને હવે સિનિયર પત્રકાર તરીકે રશિયન […]

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે.  […]

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫         કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા […]

ખંભાળિયા સહિત દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

– જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.        નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં […]

હક્ક જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમનો દાવો ફગાવતી ખંભાળિયાની સિવિલ અદાલત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        જામનગર જિલ્લાના નાઘેડી વિસ્તારના રહીશ લાખાભાઈ વીરાભાઈ ઔદિચ્યએ મુંબઈના રહીશ શાહ નેમચંદ લાધાભાઈ ગંઢકાના વારસો જ્યોત્સનાબેન વિગેરે સામે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ મુકામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની ખેતીની જમીન સંદર્ભે ખંભાળિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં વર્ષ 2012 માં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટમાં […]

દેવભૂમિના સુવિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી

– વિકાસ કાર્યોની સમીક્ષા કરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫         રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ ખાતે પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર […]

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

– દ્વારકામાં 250 જેટલા કલાકારો દ્વારા કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત –  જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે ગુરુવારે દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન […]

રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ

– અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ – કુંજન રાડિયા, જામનગર    હાલાર પંથકના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે તાજેતરમાં રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.      અત્રે ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના […]

Back to Top