Headlines

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં…

Read More

દ્વારકા તાલુકાના મુળવાસર ગામે હત્યાના કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા: રૂ. 31 હજારનો દંડ ફટકારતી દ્વારકાની અદાલત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મુળવાસર ગામે રહેતા આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ તથા કાંયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો દ્વારા…

Read More

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે.          અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ…

Read More

માઘ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. આજરોજ માઘ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.         ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડીએ…

Read More

દ્વારકાના રાંદલ ધામ ખાતે બીજી માર્ચે સમૂહ લોટાનો ભવ્ય ધર્મોત્સવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકાના કકલાસ કુંડ નજીક આવેલા શ્રી રાંદલ ધામ ખાતે આગામી તા. બીજી માર્ચ ને રવિવારના રોજ રાંદલ માતાજીના સમૂહ લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં અત્યાર સુધીમાં 90 જેટલા રાંદલ લોટા તેડવાના યજમાનોના નામ નોંધાઈ ચુકયા છે.            રાંદલ માતાજીના લોટા…

Read More

દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા અદ્યતન સુવિધા સાથેની લોહાણા મહાજન વાડીનું થશે નિર્માણ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે.  …

Read More

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી…

Read More

અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન 

જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં…

Read More