Sunday June 22, 2025

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.           દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના […]

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ટાચકાણી

જામ ખંભાળિયા: સ્વ. ચંદુલાલ વીરજી ટાચકાણી (જોશી)ના પુત્ર ગૌરીશંકરભાઈ તે મહેન્દ્રભાઈ અને નિલેશભાઈ શાંતિલાલ ટાચકાણી (જોશી), ભાવનાબહેન લાલજીભાઈ ખીરા, ધીરજલાલ રેવાશંકર ટાચકાણીના મોટાભાઈ તા. ૨૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી અત્રે સારસ્વત મહાસ્થાન (બ્રહ્મપૂરી), ખાતે રાખવામાં આવેલ છે.

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. […]

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે […]

આખરે ખંભાળિયા નગરપાલિકાને લાગી લોટરી: જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીથી રૂ. 8.89 કરોડ ઉપજ્યા

– હોંશભેર જોડાયા ખરીદારો: પ્રથમ દુકાનના રૂ. 80 લાખ આવ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫          ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની હરાજી આજરોજ બપોરે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. […]

દ્વારકામાં કેમ્પ એક્યુપ્રેશર યોજાયો: મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

– વિવિધ હઠીલા રોગોના દર્દીઓને મળી રાહત – કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫         દ્વારકાની જાણીતી સેવા સંસ્થા રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન તથા ખંભાળિયાની સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. મધુબેન જોષી દ્વારા વિવિધ રોગોના દર્દીને […]

ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થાનું ગૌરવ: પૂર્વ વિદ્યાર્થી બન્યા મેડિકલ કોલેજના પ્રોફેસર

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયાની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સેવા સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય બી.પી. સોનગરાના પુત્ર અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ડો. નિતીન સોનગરાએ તાજેતરમાં લેવામાં આવેલી જી.પી.એસ.સી.ની ક્લાસ વનની પરીક્ષા નોંધપાત્ર માર્કસ સાથે ઉતીર્ણ કરી અને સરકારી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા : બરછા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫   જામ ખંભાળિયા નિવાસી સ્વ. રણછોડદાસ પોપટલાલ બરછાના પુત્ર જગજીવન રણછોડદાસ બરછા (જગુભાઈ ઘી વાળા) (ઉ.વ. 82) તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જીવણભાઈ, અમુભાઈ, સુંદરદાસભાઈ (સ્પેન વાળા) ના નાના ભાઈ તથા વિનુભાઈ (ઘી વારા)ના મોટા ભાઈ તેમજ કેતનભાઈ અને આશિતભાઈના પિતાશ્રી તથા વિધી, સોહમ, ક્રિષ્નના દાદા તેમજ મૂળજી વાલજી પંચમતિયા (સલાયાવાળા) ના […]

ખંભાળિયા નગરપાલિકાના કચરાના ડમ્પ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને […]

Back to Top