
– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ
ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો
કુંજન રાડિયા, ભાવનગર
નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત શીશુના મૃત્યુદરને ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. છેલ્લા ચાર વર્ષમાં બાળરોગ વિભાગમાં નવજાત શીશુના મૃત્યુંદરનું પ્રમાણમાં 50 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-2021 માં જ્યાં નવજાત શીશુના મૃત્યુંદરનું પ્રમાણ ડબલ ડિઝિટમાં હતું. જે છેલ્લા બે વર્ષથી સિંગલ ડિઝિટમાં રહે છે. બાળરોગ વિભાગ દ્વારા ચાર પ્રકારની પ્રેક્ટિસ અપનાવવાથી વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2024માં નવજાત શીશુના મોતની સંખ્યા અડધા કરતા પણ ઓછી થઈ છે.
– ગુજરાતના પબ્લિક હેલ્થ સેક્ટરમાં 0 થી 28 દિવસના શિશુના મૃત્યુદર પ્રતિ માસ સરેરાશ 2.5થી લઈ 20 % : ભાવનગરની હોસ્પિટલના પ્રયોગની રાજ્યભરમાં નોંધ લેવાઈ –
ગુજરાતના પબ્લીક 0 થી 28 દિવસના શિશુમાં મૃત્યુંદર પ્રતિ માસ 25 ટકાથી 20 ટકા સુધીનો ત્યારે ભાવનગરની હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા નવજાત શીશુના મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે વર્ષ-2023થી અજમાવવામાં આવેલી વ્યુહરચથી છેલ્લા ચાર વર્ષમાં બાળરોગમાં નવજાત શીશુના મોતની સંખ્યા અડધા કરતા પણ ઓછી થઈ ગઈ છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગમાં વર્ષ 2021માં જ્યાં 2370 દર્દીઓ એડમિટ થયાં હતા જે પૈકી 323 દર્દીઓના મૃત્યું થયા હતા. આમ, વર્ષ 2021માં નવજાત શીશુ મૃત્યુદર 13.74 ટકા રહ્યો હતો. જેની સરખામણીએ વર્ષ 2024માં નવેમ્બર માસની સ્થિતિએ 2817 દર્દીઓ એડમીટ થયાં હતા જે પૈકી 160 દર્દીઓના મોત થયા હતા.
– નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા અપનાવાયેલા મહત્વના ચાર ઉપાયો –
* બાળરોગ વિભાગમાં હોસ્પિટલના સાધનો, વાસણો તથા તબીબો, નર્સિંગ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા પાણીનું ક્લોરિનેશન કરાયું.
* નવજાત શીશુની રોજીંદી સાફસફાઈ માટે સર્ટાઈલ વોટરના સ્થાને સીએચએ વાઈપનો ઉપયોગ.
* બાળકને રાખવામાં આવતા સ્ટેન્ડમાં સાદા કપડાના સ્થાને અંડર પેડનો ઉપયોગ.
* નવજાત શીશુને દવા અને ફીડીંગ માટે મુકેલી સોયની સાથે નળીનું જોડાણ જેથી નવજાતને ઓછામાં ઓછો સ્પર્શ થાય અને ઈન્ફેક્શન અટાવી શકાય.
ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈની સતત દેખરેખ અને કુનેહ ભરી કામગીરી ના કારણે અને તેમની સતત જાગૃતિના કારણે બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે અને તેના કારણે તેમને ગ્રીપ સમિટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે સમગ્ર સર ટી હોસ્પિટલ અને ભાવનગર માટે ગૌરવનો વિષય છે.
આમ, ચાર વર્ષના સમયગાળામાં એટલે કે વર્ષ-2024માં નવજાત શીશુ મૃત્યુંદર 5.67 ટકા રહ્યો હતો. આમ, છેલ્લા ચાર વર્ષમાં સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નવજાત શીશુના મૃત્યુંનો આંકડો અડધા કરતા પણ ઓછો થયો છે. સર ટી. હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ કેટેગરની હોસ્પિટલ છે અને તેના બાળરોગ વિભાગમાં ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દર મહિના સરેરાશ 250 થી 300 દર્દીઓ અને વર્ષે 2500 થી 3500 દર્દીઓ સામાન્યથી લઈને જટીલ બિમારીઓની સારવાર માટે આવે છે ત્યારે બાળરોગ વિભાગ દ્વારા નવજાત શીશુના મૃત્યુનો દર ઘટાડવા માટે વર્ષ- 2023 થી લાંબો સમય સોય રાખવાની હોય, અધુરા મહિને બાળકનો જન્મ થયો હોય, બાળકનું હોસ્પિટલમાં લાંબો સમય રોકાણ થવાનું હોય કે પછી નવજાત શીશુ ઓક્સિજન કે આઈસીયુમાં હોય તેવા નવજાત શીશુને ચેપ લાગે નહી તે માટે અલગ અલગ ચાર પ્રકારની પ્રેક્ટિસ અપનાવવામાં આવી હતી અને તેના કારણે નવજાત શીશુના મૃત્યુંનું પ્રમાણ સિંગલ ડિઝિટમાં આવી ગયું છે. આ રીતે નવજાત શીશુના મૃત્યુદર ઘટાડવા માટે અપનાવવામાં આવેલી આ વ્યૂહરચના ‘નવજાત શીશુમાં ગંભીર ચેપ અને મૃત્યુંદર ઘટાડવા માટે અસરકારક વ્યૂવ્હરચનાનું અમલીકરણ’નું પ્રેઝેન્ટેશન ગાંધીનગર ખાતે ગ્રીપ સમિટ-2024 માં આર.ડી.ડી. ભાવનગર, સર ટી. C હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગના વડા દ્વારા રજૂ કરાયું હતું. જેની રાજ્યભરમાં નોંધ લેવાઈ હતી. આગામી દિવસોમાં નવજાત શીશુ મૃત્યુદર ઘટાડવા અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રયાસ અજમાવવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.


(ફોટો:- કુંજન રાડિયા)