ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા.
ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા હતા તેને સાડા પાંચે વિરામ આપી આગળની રણનીતિ સનાતન ધર્મના ચારેય મઠના શંકરાચાર્યોજી મહારાજ, તમામ અખાડાના મહંતશ્રીઓ,મહા મંગલેશ્વરોના મહંતો, વિશ્ર્વ વિખ્યાત કથાકારો સાધુસંતો.સનાતન ધર્મના તજજ્ઞો વિગેરે જે નીર્ણયો કરશે તે પ્રમાણે કરશું તેમજ ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપની વાળ વારેવારે વર્ષોથી દેવી દેવતાઓ અને વિવિધ જ્ઞાતિની નીંદા કરે છે તે બાબતે આજે તા.૨/૩/૨૦૨૫ ના રોજ કચ્છમા માં મોગલ ધામના મહંત કબરાઉ બાપુને સમર્થન આપી ખેડુત અગ્રણી વાળા ભરતસિંહ પોપટભા તરેડી ઉંચા કોટડા માં ચામુંડાના સાનિધ્યમાં ખુલ્લા મેદાનમાં ખડ પથારી કોથળોનુ આસન કરી માતાજીને પ્રાર્થના કરી તેમજ ૭૦ વર્ષની ઉંમરે ૪૨ ડીગ્રી તાપમાનમા પ્રતિક ધરણાં તે ભગવાન શ્રીકૃષ્ણ અને માંતાજીની કૃપા ગણાવી તેને ઉચા કોટડા ટ્રસ્ટે સમર્થન આપેલ હતુ તેમજ સનાતન ધર્મના અનેક શ્રદ્ધાળુઓ, આગેવાનો અને લોકો ભાવથી ટેકો આપી ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપની સામે લડી લેવા તૈયાર દર્શાવી તેમજ ઘરણાને વિરામ આપી ભરતસિંહે સનાતન ધર્મ બાબતે ટુંકા પડીએ એટલે આનો વહેલીતકે ઉકેલ લાવવા સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓએ આગળ આવી કાયમી ઉકેલ લાવવો ખાસ જરૂરી છે અન્યથા તબેલામાં ઘોડા છૂટી જાય પછી તાળ મારવા તે યોગ્ય નથી ઘનશ્યામ પાંડે વાળી કંપની કોઈ કાળે સુધરવાની નથી તેથી ત્રીજું નેત્ર ખોલવું જરૂરી છે તેમજ ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપનીમાથી સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓને પરત લેવા પછી ભલે ઘનશ્યામ પાંડેનો માચડો મોટો કરે તેનો વાંધો નથી પણ સનાતન ધર્મ અને દેવી દેવતાઓની મનભાવે તેવી અભદ્ર ટિપ્પણી જાણી જોઈને ભણેલા ગણેલા પણ પશ્ર્ચિમી વિચાર ધરાવતા અંગ્રેજોની માનસિકતા ધરાવતા હોય તે સંદતર બંધ કરાવો તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે