Friday June 20, 2025

કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાવલ ગામના વિરમ ભીખાભાઈ બારીયા નામના 34 વર્ષના શખ્સને જામજોધપુર તાલુકાના તરસાઈ ગામેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top