Saturday June 21, 2025

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અને
અપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમે
કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.
ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ પ્રથમ પ્રયોગ હતો.
એડમન્ટનની કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાનાં લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 20,000 કેનેડિયન ડોલર એટલે આશરે 12.50 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું હતું.
સાંજે 6 થી 7 સૌએ ભોજન લીધું અને રામદરબાર પુરો થયાં બાદ રાત્રે ૧૦.૩૦ વાગે સમુહઆરતી બાદ સૌ શીરાનો પ્રસાદ લઈ છુટ્ટા પડ્યા હતા.
આ સાથે છે રામદરબારની થોડી તસવીરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top