Saturday June 21, 2025

ખંભાળિયાના આહિર સિંહણ ગામે શુક્રવારે પહેડી મહોત્સવનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫

         ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડાના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન આગામી શુક્રવાર તારીખ 14 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે 5:30 વાગ્યે મહાઆરતી, સાંજે 6:30 વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે 10 વાગ્યે માણેકવાડાનું પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

        આ ધાર્મિક પ્રસંગે સર્વે સૌરાષ્ટ્ર કચ્છ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજના જ્ઞાતિજનોને દર્શન તેમજ પ્રભુ પ્રસાદીનો લાભ લેવા શ્રી યક્ષ બૌતેરા પહેડી સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હોવાનું ઉપેન્દ્રભાઈ સંઘાર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top