Saturday June 21, 2025

ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫

       ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

      જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતીમાં સૌ કોઈએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ઉનાળામાં સૌકોઈએ પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીનું કુંડુ રાખવા અપીલ કરી હતી. સાથે હાલ ચૈત્રી નવરાત્રી અને આગામી તહેવારોની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોને વેકેશનમાં નવું નવું શીખવા અપીલ કરી ને વિવિધ મુદ્દા અંગે ચર્ચા કરી હતી.

        જેમાં શ્રી ગાયત્રી ગરબા મંડળ, શ્રી નાથજી કલાવૃંદ અને શ્રી ગાયત્રી પરિવારના સભ્યો સાથે સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહીને સામૂહિક રીતે “મન કી બાત”ને સાંભળ્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top