
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫
પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં આવેલા આ રોટલા અન્નકૂટમાં આશરે 3,000 જેટલા રોટલા પૂજ્ય જલારામ બાપાને ધરવામાં આવ્યા હતા. જેના દર્શનનો લાભ લઈ, જલારામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ સાંજે આ રોટલાનો પ્રસાદ સમૂહ જ્ઞાતિ પ્રસાદ (નાત) વખતે સર્વે જ્ઞાતિજનોને આપવામાં આવ્યો હતો.
આ આયોજન માટે રઘુવંશી મહિલા કાર્યકરો તેમજ ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.



(ફોટો:- કુંજન રાડિયા)