Saturday June 21, 2025

ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી

– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો –

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫

       જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

        આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે દ્વારકા હાઈવે પર આવેલા કુવાડીયા ગામના પાટિયા પાસે સંત શ્રી શંકર ડાડાની વાડી ખાતે ભજન સંતવાણીનું આયોજન રાત્રે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ પૂર્વે આ સ્થળે રક્તદાન કેમ્પ તથા સાંજે 7 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

         સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા ભજનિક સતીશ ગોંડલીયા તેમજ રાજ ગઢવી ભજન-ધૂનની રમઝટ બોલાવશે. આ ધર્મમય આયોજનમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top