
– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે દ્વારકા હાઈવે પર આવેલા કુવાડીયા ગામના પાટિયા પાસે સંત શ્રી શંકર ડાડાની વાડી ખાતે ભજન સંતવાણીનું આયોજન રાત્રે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ પૂર્વે આ સ્થળે રક્તદાન કેમ્પ તથા સાંજે 7 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા ભજનિક સતીશ ગોંડલીયા તેમજ રાજ ગઢવી ભજન-ધૂનની રમઝટ બોલાવશે. આ ધર્મમય આયોજનમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)