Friday June 20, 2025

ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫

 ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.

       જેમાં નગરપાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી અને રાણાભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top